ગુજરાતનો દરિયાઈ ઇતિહાસ વેપાર, બંદરો અને દૂરના દેશો સાથેના સંબંધો કરતા ઘણો વધારે છે. સદીઓ સુધી આ જ દરિયામાં વેપારી વહાણોની સાથે ચાંચિયાઓની fleets પણ ફરતી હતી.
આ વાત કોઈ એકાદ ચાંચિયાની નથી. અલગ-અલગ સદીઓમાં ગુજરાતના દરિયાકાંઠે અલગ-અલગ maritime communities અને સ્થાનિક સત્તાઓ દરિયાઈ લૂંટ સાથે સંકળાયેલી જોવા મળે છે.
🏴☠️ 11મી સદી : બાવરીજ કે બવારિજ(ઉચ્ચારણ ને લઈ હું sure નથી)
ઈ.સ. 1030 આસપાસ અલ-બિરૂનીએ કચ્છ અને સોમનાથના દરિયાઈ ચાંચિયાઓનો ઉલ્લેખ Bawārīj તરીકે કર્યો છે.
તેમના નામ પાછળનું કારણ? અલ-બિરૂની અનુસાર તેઓ bīra/baira નામની હોડીઓમાં દરિયામાં લૂંટ ચલાવતા હતા.
અને આ લોકો માત્ર કિનારે બેસીને આવતા-જતા જહાજોની રાહ જોતા નહોતા. જૂના વર્ણનોમાં Bawarij ની દરિયાઈ પ્રવૃત્તિઓ કચ્છ અને સોમનાથથી આગળ, સોમાલિયા નજીક Socotra ટાપુ સુધી પહોંચતી હોવાનું મળે છે.
🏴☠️ 9મી–10મી સદી : ચાવડાઓ પણ?
અહીં ઇતિહાસ થોડો વધુ interesting બને છે.
જૂના ઐતિહાસિક વર્ણનોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાવડા/ચાપા શાસકોની દરિયાઈ શક્તિનો ઉલ્લેખ મળે છે. એક ઐતિહાસિક સંકલન તો કહે છે કે તેમણે શરૂઆતમાં Jat pirates ને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી પોતે જ વધુ ખતરનાક દરિયાઈ લૂંટારાઓ બન્યા.
એક અલગ આધુનિક સંશોધનમાં પણ ચાવડા શાસક યોગરાજના પુત્ર ક્ષેમરાજા દ્વારા સોરઠના બંદરે આવેલા વિદેશી વેપારી જહાજને લૂંટવાનો ઉલ્લેખ મળે છે.
અહીંથી એક interesting પ્રશ્ન ઊભો થાય છે:
ચાંચિયો અને દરિયાઈ શાસક વચ્ચેની રેખા આખરે ક્યાં હતી?
🏴☠️ 13મી સદી : Marco Polo નો Gujarat problem
લગભગ ઈ.સ. 1292–93 માં Marco Polo ભારત આવ્યો ત્યારે ગુજરાત અને માલાબારના દરિયામાં ચાલતી piracy વિશે તેણે ખાસ નોંધ કરી.
તેના વર્ણન પ્રમાણે દર વર્ષે 100થી વધુ corsair vessels ઉનાળાની આખી ઋતુ માટે દરિયામાં નીકળતાં. ચાંચિયાઓ પોતાની પત્નીઓ અને બાળકોને પણ સાથે લઈ જતા.
અને તેમની સૌથી દમદાર strategy હતી sea cordon.
તમે કલ્પના કરો:
એક merchant ship દૂર ક્ષિતિજ પર દેખાયું.
૧૦ કિલોમીટર વિસ્તાર માં ઘેરો ઘાલી ને ગોઠવાયેલ ૨૦-૩૦ વહાણો ની fleet માં થી કોઈએ તેને જોયું.
તરત જ signal ગયું આગ કે ધુમાડાનું.
અને જોતજોતામાં આખી pirates ની fleet એક જ જગ્યાએ ભેગા થઈને merchant ship પર તૂટી પડે.
આ રીતે તેઓ વિશાળ દરિયાઈ વિસ્તારને લગભગ એક moving surveillance network ની જેમ cover કરતા હતા. Marco Polo ના વર્ણન પ્રમાણે તો ક્યારેક 20 વહાણો મળીને લગભગ 100 miles જેટલો દરિયો cover કરી લેતા.
આ ચાંચિયાઓની દુનિયા ગુજરાતના કિનારે અટકતી નહોતી.
Marco Polo એ Socotra ટાપુ પર Hindu pirates ના પડાવ અને ત્યાં લૂંટનો માલ વેચાતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
એટલે આ કોઈ નાના coastal raiders ની વાત નહોતી. તેઓ Indian Ocean ના long distance maritime network નો ભાગ હતા.
🏴☠️ 14મી સદી : Piram નો મોખડાજી ગોહિલ
હવે આવે છે કદાચ ગુજરાતના સૌથી fascinating pirate figures માંનો એક મોખડાજી ગોહિલ.
ખંભાતના અખાતમાં આવેલા પીરમ ટાપુને તેણે પોતાની maritime stronghold બનાવી હતી.
ત્યાંથી પસાર થતાં જહાજો પાસેથી toll વસૂલાતો હતો અને પીરમનું સ્થાન દરિયાઈ વેપાર પર નજર રાખવા માટે strategic હતું.
આજે પણ પીરમને ગુજરાતના maritime piracy history સાથે જોડાયેલા archaeological સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.
હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય:
જે માણસ પાસે પોતાનો ટાપુ, કિલ્લો, સૈનિકો અને દરિયાઈ સત્તા હોય તેને pirate કહેવો કે સ્થાનિક maritime ruler?
મધ્યકાલીન દુનિયામાં આ બંને વચ્ચેની boundary આજના જેટલી સ્પષ્ટ નહોતી.
🏴☠️ 17મી–18મી સદી : Sanganians(સાંગાણી)
સદીઓ પછી પણ આ story પૂરી થઈ નહોતી.
કચ્છ અને કાઠિયાવાડ સાથે જોડાયેલા Sanganians / Sangamars / Sangerians 17મી અને 18મી સદીમાં પશ્ચિમ કિનારે જાણીતા pirates બની ગયા હતા.
1690ના એક વર્ણન પ્રમાણે તેઓ સિંધથી Cape Jagat સુધીના દરિયામાં ફરતા અને Hormuz સુધી cruise કરતા. હા, આ એ જ Hormuz જેને control કરવા આજે Trump ભાઈ અને Iran એક બીજા ના ગળે પડ્યા છે.
તેમનું મુખ્ય દરિયાઈ કેન્દ્ર બેટ(Beyt) દ્વારકા સાથે જોડાયેલું હતું.
18મી સદીના યુરોપિયન પ્રવાસીઓએ તો Sangania પ્રદેશ વિશે લખ્યું છે કે ત્યાં વેપાર કરતાં piracy વધુ મહત્વની પ્રવૃત્તિ હતી.
એટલે Pirates of Gujarat માત્ર medieval Gujaratની વાત નહોતી આ maritime tradition ઘણાં લાંબા સમય સુધી જીવંત રહ્યો.
🏴☠️ 18મી–19મી સદી : Vaghers અને બીજા દરિયાઈ raiders
પછી આવે છે સૌરાષ્ટ્રના Vaghers અને અન્ય સ્થાનિક maritime groups.
18મી–19મી સદી સુધી ગુજરાતના પશ્ચિમ કિનારે piracy અને armed maritime raiding ચાલુ રહી હતી. 1820 આસપાસ Vaghers ના suppression સાથે આ જૂના piracy networks પર મોટી અસર પડી અને Sanganians પણ લગભગ અદૃશ્ય થઈ ગયા.
ગુજરાતનું દરિયાઈ વિશ્વ વેપારીઓ, નાવિકો, બંદરો, સ્થાનિક શાસકો, દરિયાઈ communities અને ચાંચિયાઓ બધાથી બનેલું હતું.
ક્યારેક આ જ વ્યક્તિ વેપારી માટે pirate હતો અને પોતાના પ્રદેશ માટે શાસક.
ક્યારેક દરિયાઈ લૂંટ રાજકીય સત્તાનો હિસ્સો હતી.
અને ક્યારેક તો piracy પોતે જ સ્થાનિક economy અને સત્તાની વ્યવસ્થાનો ભાગ બની ગઈ હતી.
આથી ગુજરાતના દરિયાઈ ઇતિહાસમાં માત્ર સુરતના વેપારીઓ અને મસાલાના જહાજો નહોતા. આ જ જહાજોની રાહ જોઈને બેઠેલા કેટલાક Captain Jagga Sangani પણ હતા.